મુખ્ય પ્રવૃત્તિ

યાદ રાખો....... ગરીબોની દુવા તમારા જીવનને પણ સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરી દેશે. ભુખ્યાને ભોજન એજ સાચો ધર્મ છે. એજ સાચી માનવસેવા છે. જૈનાચાર્ય પ.પૂ. વિ. કલાપૂર્ણસૂરિશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. મુનિશ્રી આનંદવર્ધન મ.સા. તથા પ.પૂ. મુનિશ્રી આત્મદર્શન મ.સા.ની શુભ પ્રેરણાથી મહાવીર ખીચડી ઘર - વર્ધમાનનગર - ભુજોડી દ્વારા દર રવિવારે ભુજોડી-કુકમા-લાખોંદ-ગડા પાટીયા વિસ્તારના ભુંગામાં રહેતા શ્રમજીવી પરિવારોને ભોજન પિરસવામાં આવે છે. એક રવિવારના રૂ. ૧૧૦૦ (અગીયરશો) નું દાન આપી કોઇ પણ આ પ્રવૃત્તિમાં સહભાગી બની શકે છે. જેના માટે સંસ્થાના કાર્યકરોનો સંપર્ક કરો.